બુદ્ધિનો બંધ

બુદ્ધિનો બંધ

અનુભવોની ઈંટો વડે

સર્જાય છે બુદ્ધિનો બંધ.

ઊંચાઈ તેની વિવેક છે

‘ને પહોળાઈ છે સંયમ.

સત્વ,રજ,’ને તમ તણી

અધખોલી છે ત્રણ બારી.

રહે નિરંતર વહેતું

તેમાંથી વૃત્તિ કેરું વારિ.

વૃત્તિઓ કેરા આ વારિનું

અન્ય નામ તો છે વિચાર.

તે ઉપર નિર્ભર છે સદા

આપણો બધો વ્યવહાર

ગિરીશ દેસાઈ

ઓગસ્ટ 26, 2015 at 8:20 પી એમ(pm) Leave a comment

બુદ્ધિનો બંધ

અનુભવોની ઈંટો વડે, બંધાય છે બુદ્ધિનો બંધ
વિવેક તેની ઊંચાઇ છે, અને ચોડાઈ છે સંયમ

ઓગસ્ટ 5, 2015 at 10:36 પી એમ(pm) 3 comments

તન મન અને જીવન

તન મન અને જીવન

જે રાખે તન સશક્ત ‘ને
ન રાખે મનમાં આસક્તિ
જીવે સદા વર્તમાનમાં
ભૂલી જાય ભૂત ‘ને ભાવી
જે જીવે જીવન આવું
તેને દુ;ખ ન શકે સતાવી

જુલાઇ 28, 2015 at 3:46 પી એમ(pm) Leave a comment

Graduation speech given by an eighth grader

What is the ultimate goal in life?
Is it to be rich? Is it to be loved?
These are things I find myself thinking about a lot. Recently…I have realized I am going to high school in a few months.There is going to be about a hundred times the people in my grade then there was this year…literally. There will probably also be a hundred times the drama, the school will probably be a hundred times larger, and my level of stress will also increase…by a hundred times.When high school begins, I have four years left. Four years to figure out w-h-a-t I w-a-n-t to prioritize and w-h-a-t I w-a-n-t to be, and how I w-a-n-t to live the rest of my life. This is both terrifying and exciting at the same time. When I am 80 years old and I am living in a retirement… home in Florida will I be happy with who I am? What will I have accomplished?
So I asked someone who is in fact 80 years old (my grandpa)
“What is the ultimate goal in life?” and he said something that made a lot of sense to me.
….“Happiness is the ultimate goal of life.”…
But how do I achieve happiness?
People are always wanting things. We have a never ending list of desires. For example, I want a pair of Louboutin heels and a Louis Vuitton handbag. It is something I crave and that I desire, but it does not determine whether I am happy or I am sad. If I focus on just getting a pair of shoes and a handbag for my whole life, then when I’m living in that retirement home looking back on my life will I be happy with it?
^^^^^^^ *look up* ^^^^^^^^^
I don’t think I will. I will be stylish, but not happy.
I’ve learned that to achieve happiness I have to be content with what I have. I have realized that I have so many things to be grateful for, and so many opportunities and open doors that other kids may not have. People do not choose where they are born, who their family is, or what their financial situation is. But, they make it work. They are perfectly happy with just getting a meal or two a day or just one or two outfits to wear. They are content with what they have.This is something I have been pretty sheltered from my whole life.

I was a spoiled child. I was pampered with nice toys and clothes and I never thought about the
fact that there were other children in the world that didn’t even have a quarter of the things that I had.
I am much older now, and I have a much clear-er understanding of other people’s situations that are not as lucky as I am. I remember when I first was starting to learn about these things I felt an extreme amount of guilt. From that point on I decided that I was going to make an effort to be a better, more considerate person. I don’t need all these material things in order to be happy. “Money doesn’t buy happiness” after all. Neither do fancy shoes and purses.
If I continue with this never ending list of desires and that’s all I’m focused on, I will never be happy. I want to live my life without worrying about what I don’t have. I am going to look at what I do have and be grateful for all the things around me. I believe that my list of desires isn’t just going to vanish out of my mind. I will always want things, it’s human nature, but for now, I am content with not getting louboutin heels and a louis vuitton handbag. I will be fine with my converse and target purse.

Gabrielle Graham.

જુલાઇ 7, 2015 at 11:38 પી એમ(pm) 1 comment

સુખનું ત્રાજવું

જે સુખ દુઃખ કેરા ત્રાજુના
બે પલ્લા રાખે સમતોલ,
તે જીવન ધન્ય ધન્ય છે
હીરા મોતીથી અણમોલ.

ગિરઈશ દેસાઈ

એપ્રિલ 12, 2015 at 3:20 એ એમ (am) 3 comments

હાયકુ

હા

મનહ એવ
મનુષ્યાણાં કારણં
બન્ધ મોક્ષયો

દ્વૈત પ્રકૃતિ
અદ્વૈત પુરુષ છે
દ્વિધામાં મન

વર્ણ છે ગોરો
વળી દેહ રૂપાળો
કામુક મન

માનભંગથી
અભિમાનીનું
ક્રોધિત મન

સ્વજન જતાં
લાગે એકલવાયું
દુઃખી છે મન

ઈચ્છા કીધેલી
ન થઇ સફળ તો
ઉદાસી મન

વરસી વર્ષા
’ને થઈ હરીયાળી
હર્ષિત મન

છે નબળાઈ
તન મહીં તો જાણો
તેને અશક્તિ

છે નબળાઈ
મન મહીં તો જાણો
તેને આસક્તિ

ચામડી ભલે
હોય કાળી કે ગોરી
રૂધિર લાલ

દ્રષ્ટ અદ્રષ્ટ
સ્થળ કાળ ‘ને ગતિ
છે પૂર્ણ સૃષ્ટિ

જન્મ જીવન
જરા વ્યાધિ ‘ને મૃત્યુ
પૂર્ણ સંસાર

જીતી ગયા છો
હાર સ્વિકારી લેજો
ગળે પહેરી

હારી ગયા છો
હાર સ્વિકારિ લેજો
ભૂલો સુધારી

કુ

કેશે કલપ
કીધો છતાં મુખડું
ખાય છે ચાડી

તો શાને કાજે
વેડફી પૈસા કરો
બેલન્સ ખાલી

નિતી વિહોણા
ધર્મ ‘ને વિજ્ઞાન છે
સદા અધુરા

ટેવ બીડીની
પહેલા દમ થયો
પછી કેન્સર

બીયર બેલી
આદત બીયરની
આશ્ચ્રર્ય શાને

ભાવે છે ગળ્યું
પણ ડાયાબીટીસ
છે ને ઉપાધિ ?

વૃદ્ધત્ત્વ આવે
તન થાય નબળું
આ છે જીવન

મૃત્યુની વેળા
છે મનમાં મુઝારો
અધૂરી ઇચ્છા

શ્રવણ કરો
પછી મનન કરી
વર્તન કરો

ઘડપણમાં
પગ ડગમગે તો
ટેકો લાકડી

મનમાં ક્રોધ
વિવેક વિસરયો
ચલાવી ગોળી

મનની વેદી
અગ્નિ વિચાર કેરો
જીવન યજ્ઞ

આ સૃષ્ટિ તણો
અનુભવ કરવા
મળ્યું જીવન

સૃષ્ટિનું વૃક્ષ
સ્થળ કાળ ને ગતિ
તેના મૂળ છે

એક જ તત્વ
રુપ વિવિધ બને
સર્જાય સૃષ્ટિ

એક જ મન
વિવિધ વિચારથી
બદલે દ્રષ્ટિ

એક જ પ્રાણ
વિવિધ દેહ ધરે
વિવિધ પ્રાણી

એક જ બીજ
વાવીએ તો ઉગશે
એક જ વૃક્ષ

આપણે સહુ
માનીએ છીએ ઘણું
જાણીએ અલ્પ

મન શત્રુ છે ?
હાંકો ઊંધી દીશામાં
તો થશે મિત્ર

વિચાર આવે
શબ્દો નવા બનાવે
વિકસે ભાષા

ઉદર મોટું
નાભિથી નીચે બેલ્ટ
ચીંતીત મન

અગન ગોળા
ઘૂમે ગગન માંહે
વિના અધાર

આ સૃષ્ટિતો છે
શૂન્યનો શગાણર
કોણે સજાવ્યો ?

આ ધ્વનીતો છે
વાયુનો રણકાર
કોણે પુકાર્યો ?

આ અગ્નિતો છે
સૃષ્ટિનો ગરમાટો
કોણે પ્રજ્વાળ્યો?

આ પાણીતો છે
જીવનનો સંચાર
કોણે કરીયો ?

આ પૃથ્વિતો છે
પ્રાણીનો આધાર
કોણે તે દીધો?

એપ્રિલ 8, 2015 at 2:14 પી એમ(pm) Leave a comment

‘જગત’

જગત
ગત એટલે જે જતું રહયું છે તે. પરંતુ આપણી સમક્ષથી બધી વસ્તુઓ, બધા વિચારો શાથી જતા રહે છે? એનું કારણ છે ગતિ. અને આ ગતિને કારણે જે  જન્મે છે તે છે જગત. “ગત્યાત જાયતે ઇતિ જગત.” પરંતુ ગતિ તો સાપેક્ષ છે  અને આપણને મન અને જગત બન્ને ગતિમા હોય એવું લાગે છે તો પ્રશ્ન એ છે કે આ ગતિનું કારણ આપણંુ મન છે કે આપણંુ જગત  કે આ બેઉ ? આ શી રીતે નકકી થઇ શકે? એ તો સમાન્ય અનુભવની વાત છે કે સ્વપ્નાવસ્થામા આપણુ મન  કોઇ એવી અવનવી સૃષ્ટિ ખડી કરી દે છે કે જેનું કોઇ અસ્તિત્વ જ નથી. આ ઉપરથી અમે કહી શકાય કે જે મન ઊંઘમાં પણ દોડતું રહે છે તે જાગૃત અવસ્થામાં પણ ગતિમાં હોઇ શકે છે. પરંતુ ગાઢ નિદ્રામાં તો મન કે જગત કશું જ ફરતું દેખાતું નથી. અર્થાત ગતિ જેવું કશું છે જ નહીં. આ ઉપરથી તો એમ કહી શકાય કે જગત તો સ્થિર જ હતુું. હવે વધુ ચકાસણી કરવી હોય તો જગતને સ્થિર કરી મન ગતિમાં છે કે નહીં તે
તપાસવું રહયું. પણ જગતને કેવી રીતે  સ્થિર કરી શકાય?  મને લાગે છે કે આનો  પણ એક ઉપાય છે. જગત એટલે બ્રહ્માંડ અર્થાત એક મોટો ગોળો. જો આ ગોળો ગતિમાં હોય તો તેનો દરેક ભાગ ગતિમાં જ હોવાનો. જો આપણે તેના કોઇ એક ભાગને સ્થિર કરી શકીએ તો આ ગોળો, આ જગત, પણ સ્થિર થઇ જાય.  હવે જરા વિચારો. આપણો આ દેહ જગતનો જ એક ભાગ છે. જો એને સ્થિર કરીએ તો જગત સ્થિર થઇ જાયકે નહીં ? પરંતુ એમ કરવા માટે આ દેહનું સંચાલન કરતા શ્વાસ અને મનને  સ્થિર કરવા ખૂબ જરુરી છે. આ કારણે જ તપસ્વિ સાધકો અંધારી ગુફામાં બેસી પ્રાણાયામ કરતા હશે. અને જયારે તેમને સમાધિ લાગી જાય છે ત્યારે જગત પણ સ્થિર થઇ જાય છે. કેવળ સ્થિર નહીં પણ અદ્રષ્ય થઇ જાય છે.આ ઉપરથી તો એટલું જ પુરવાર થાય છે કે કેવળ મનની ગતિથી આ જગત અસ્તિત્વમાં આવે છે. અને એટલે જ  અમૃતબિન્દુ ઉપનિષદમાં કહયું છે કે
” મન: એવ મનુષ્યાણાં કારણમ્ બંધ મોક્ષયો
બંધાય વિશયાસકત મુકતં અવિશય: સ્મૃતમ્ “
હવે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો એમ કહેવાય કે
ગતિ= અંતર / સમય
પરંતુ અંતર એ તો સ્થળનું માપ છે. તો આપણે કહી શકીએ કે
ગતિ= સ્થળ / કાળ
આમ જો ગતિ શૂન્ય થઇ જાય તો સ્થળ અને કાળ અદ્રષ્ય જ થઇ જાયને?
ગતિ મરી ,બધું મર્યૂં મર્યાં સ્થળ ને કાળ
કહો કોણે રચી હશે આવી માયા જાળ
ઇતિ.

જાન્યુઆરી 6, 2015 at 1:55 એ એમ (am) Leave a comment

2014 in review

The WordPress.com stats helper monkeys prepared a 2014 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 1,800 times in 2014. If it were a cable car, it would take about 30 trips to carry that many people.

Click here to see the complete report.

જાન્યુઆરી 2, 2015 at 12:48 પી એમ(pm) Leave a comment

જીવન

જીવન
વિચારમાંથી જન્મે છે શબ્દ
શબ્દમાંથી સમજ
સમજમાંથી વર્તન
વર્તનમાંથી આદત
આદતમાંથી ધ્યેય
ધ્યેયમાંથી કર્મ
કર્મથી ઘડાય છે વ્યક્તિત્વ
આ વ્યક્તિત્વ એ જ છે
આપણું જીવન

ડિસેમ્બર 9, 2014 at 3:30 પી એમ(pm) Leave a comment

આધ્યાત્મ એ જ ઉત્થાનની સીડી

¬¬ “આધ્યાત્મ એ જ ઉત્થાનની સીડી”
શ્રી. વિજય ભાઈએ મને આ વિશય ઉપર લખવા પ્રેરણા આપી એટલે અહીં મારા વિચારો વ્યક્ત કરું છું. આધ્યાત્મ એજ ઉત્થાનની (પ્રગતીની)સીડી છે એ વિશે મને કોઈ શંકા નથી. પરંતુ હું માનું છું કે આ સીડી ઉપર ચઢવું એ સહેલી વાત નથી. કારણ કે આ સીડી કોઈ પણ ઢાળ વગરની વર્તુળાકારે સીધી ઊપર ચઢતી સીડી છે અને તે આપણને ગોળ ગોળ ફેરવતી ઉપર લઈ જાય છે. વળી એના દરેક પગથીયાં સાંકડા હોય છે અને દરેક પગથીયા વચ્ચેનું અંતર પણ વધારે હોય છે. આ પગથીયાં એટલે આપણા અંત;કરણમાં છૂપાયેલ વાસના, વિચાર, વાણી અને વર્તનનો ભંડાર. ઈશાવાસ્ય ઉપનિષદમાં “તેન ત્યક્તેન ભુજ્જીથા”ની સલાહ આ ભંડાર ઓછો કરવા માટે આપી છે, પરંતુ આપણે તો તેને બદલે રોજબરોજના અનુભવો સંઘરી સંઘરી એ ભંડારનો ભાર વધારતા જ રહીએ છીએ. આટલો બધો ભાર ઉચકી ઉત્થાન અર્થાત પ્રગતિ કરવાનું સહેલું નથી. અહીં મને કાકા સાહેબ કાલેલકરનું એક વાક્ય યાદ આવ્યું. ‘પ્રગતિ સ્ક્રુના આંટા જેવી છે. જે સ્ક્રુ ઉપર આંટા વધારે હોય એની પ્રગતિ ધીમી થતી હોય છે. તે જ પ્રમાણે જો આપણે અપણા અંતઃકરણમાં પડેલા વાસના, વિચાર, વાણી અને વર્તનના આંટા વધારે હોય તો આપણી પ્રગતિ પણ ધીમી જ થાય. તો આપણા મનમાં પડેલા આ આંટા ઓછા કરવાનો ઉપાય શું ? આ લેખના શીર્ષકમાં સીડી શબ્દ વપરયો છે તેથી મેં આ સીડીનું વર્ણન મારાથી શક્ય હતું તેટલું દુષ્કર બનાવ્યું છે. પરંતુ કઠોપનિષદમાં તો આધ્યાત્મનો રસ્તો કેટલો દુષ્કર છે અને તે રસ્તે ચાલી કેમ સફલ થવું તેનો નિર્દેશ કર્યો છે. તેમાં કહ્યું છે કે
“ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત /ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગં પથઃ તત કવયો વદંતિ.”
અર્થ છે કે આધ્યાત્મનો રસ્તો તલવારની તીક્ષ્ણ ધાર ઉપર ચાલવા બરાબર છે. માટે ઉઠો, જાગો સજાગ રહો અને સિધ્ધ પુરુષની દોરવણી અને આશિર્વાદ લઈ ખૂબ સાવધાનીથી અગળ વધો તો જરુર સફળ થશો.
હવે અહીં હું આપણા અંતઃકરણમાં પડેલ ધાર્મિકતા વિશેના વિચાર અને વર્તન રુપી એક આંટાનું ઉદાહરણ આપી મારી વાતને પૂર્ણ વિરામ આપીશ. આપણે સહુ જાણીએ છીએ કે ઘણા લોકો પોતાની ધાર્મિકતા પોશવા માટે કે તેનું પ્ર્દર્શન કરવા માટે નિયમીત રીતે એમના દેવસ્થાનોમાં પ્રાર્થના કરવા જતા હોય છે. વળી કેટલાક સત્સંગ ને નામે કથા વાર્તા સાંભળવામાં વ્યસ્ત રહેતા હોય છે. આમ કરવું કશું ખોટું નથી, પરંતુ આમ કરવાથી ધાર્મિક થવાશે એ મનનો ભ્રમ છે. ધાર્મિક વ્યક્તિ મંદિરે જાય એ બને પણ મંદિરે જાય તે ધાર્મિક બને એ માની લેવું શંકાસ્પદ છે. અને સાચો સત્સંગતો ત્યારે થયો કહેવાય કે જ્યારે આપંણા વાણી, વિચાર અને વર્તનમાં સચ્ચાઈ ભળે.
“વાણી,વર્તન ને વિચારમાં જો ભળે સત્યનું અંગ, તો જાણજો ભાઈ થયો સાચો સત્સંગ”
ધાર્મિકતા અને આધ્યાત્મિકતા
Religiosity And Spirituality
આ બે શબ્દો મેં ઘણી વાર સમાનાર્થે વપરાતા સાંભળ્યાં છે. પરંતુ મારી સમજ પ્રમાણે મને આ બેઉના અર્થમાં આસમાન જમીનનો ફેર લાગે છે. તેથી આ વાતની ચોખવટ કરવા અહીં મારા વિચારો રજુ કરું છું. મારી સમજમા કાંઈ ભૂલ હોય તો તે અંગે પ્રતિભાવ પાડવા આપ સહુને મારી ખાસ વિનંતી છે.
0aimRkta એટલે ધર્મપાલનને લગતા વિચાર અને વર્તન અને આધ્યાત્મિકતા એટલે આત્મા સંબંધિ વિચાર અને વર્તન આમતો ધર્મના ઘણા અર્થ થાય છે પરંતુ અહીં મેં અનો અર્થ જુદા જુદા માનવ સમાજમા પળાતાં ધાર્મો જેવા કે “હિન્દુ, મુસ્લીમ, ખ્રીસ્તી, જૈન વગેરે વગેરે” એવો કર્યો છે. આ બધા સામાજિક ધર્મો માનવકૃત છે. અર્થાત પોતપોતાના સ્થળ અને કાળને ધ્યાનમાં રાખી સમાજની સુવિધાઓ સચવવા તે સમાજે ઘડેલા નિતી નિયમો. અને આ નિયમો તે સમાજનો ધર્મ બની જાય છે. જે સમયાનુસાર બદલાતો રહે છે. વળી આ બધા ધર્મો કેવળ માનવો માટે છે. આ દરેક ધર્મમાં તેમના અલગ અલગ શાસ્ત્રોક્ત અને સામાજિક રીત રીવાજ અને વિધિ નિષેધોના બંધન હોય છે. અને દરેક વ્યક્તિ પોતાના ધર્મના આ બધા બંધનો મને કે કમને સ્વીકારી લે છે. આ સ્વીકૃતી જ તેને આધ્યાત્મને રસ્તે જતાં રોકી રાખે છે. દા.ત. કોઈને ત્યાં લગ્ન,કથા કે નવા ગૃહ પ્રવેશ નો પ્રસંગ હોય તો તેની વિધિ માટે કયા મહારાજને બોલાવવા, કેટલા માણસોને આમંત્રણ મોકલવા, કયા હોલમાં સહુની વ્યવસ્થા કરવી આ બધનો કેટલો ખર્ચ થશે, આવી બધી ગડમથલમાં એનો બધો સમય બરબાદ થઈ જાય તો આધ્યાત્મનો વિચાર કરવાની ફુરસદ ક્યાંથી મળે. રોજબરોજની ગડમથલો જ વ્યક્તિને બહિર્મુખ બનાવેછે. વૈદિક કળમાં પણ આ જ સમસ્યા હતી. તે સમયના બ્રાહ્મણો અને ક્ષત્રીઓ કર્મકાંડમાં એટલે કે યજ્ઞયાગ, હવન અને આહૂતિ, બલીદાનની પ્રવૃત્તિમાં એટલા બધા વ્યસ્ત રહેતા કે તેમને વેદની રુચાઓનો ગુઢાર્થ સમજવાનો સમય જ મળતો નહીં. તેથી આવી ક્રીયાઓમાં રત રહેતા સમાજને બહિર્મુખ થતો જોઈ કેટલાક સમજુ વિદ્વાન ઋષિઓએ વેદાંતની એટલે કે ઉપનિષદોની અર્થાત જ્ઞાનકાંડની રચના કરી સમાજને અંતરમુખ કરવાનો પ્રયાસ કર્યો. ધર્મની સાચી વ્યાખા તો છે “ધારયતિ ઈતિ ધર્મ” એટલે કે જે પ્રાણી માત્રનું પાલન કરે તે છે સાચો ધર્મ. તો જે ધર્મનું આપણે પાલન કરવું પડે તે ધર્મ અપંગ જ કહેવાયને ? વળી માનવકૃત આ બધા ધર્મોમાં કેવળ માનવ જાતીની ગણના થતી હોય છે. જગતના અન્ય પ્રાણીઓની નહીં. એટલું જ નહીં પરંતુ પોતાના ધર્મથી જુદા ધર્મોના માણસોની પણ ગણના નથી થતી. કારણ કે દરેક ધર્મના રીત રીવાજો અલગ અલગ હોય છે. એમના મંદિરો,મસ્જિદો,ચર્ચ વગેરેમાં પ્રાથના કરવાના ઢંગ પણ અલગ અલગ અને સહુના દેવ પણ અલગ અલગ, જ્યાં આવો શંભુમેળો હોય ત્યાં આધ્યાત્મિકતા ઉપર કોનું ધ્યાન રહે ! અરે આવી સ્થિતિમાં આધ્યાત્મિકતા તો શું પણ ધાર્મિકતા પણ ભૂલાઇ જાય છે અને અંતે અલગ અલગ ધર્મો વચ્ચે ઝગડા શરુ થઈ જાય છે. મારું એવું માનવું છે કે આજ સુધી આ દુનિયામા જેટલા યુદ્ધો થયા છે તેના મૂળમા મહદ અંશે આ ધાર્મિક ઝગડા જ કારણભૂત બન્યા છે.
આપણે સહુ જાણીએ છીએ કે માનવ મનને અંતરમુખ કરવું એ અતિ મુશ્કેલ છે. એ વાત ધ્યાનમાં રાખી મહર્ષિ પતંજલીએ યોગ સૂત્રની રચના કરી ધર્મિકતાથી અધ્યાત્મિકતા સુધી પહોંચવાનો સાચો રસ્તો બતાવ્યો છે. તેમણે બતાવેલા અષ્ટાંગ યોગના નિયમો જગતની દરેક વ્યક્તિ માટે એક સરખાં છે. આ નિયમો અનુસાર જીવન જીવવા માટે કોઈ મંદિર,મસ્જિદ કે ચર્ચની આવશ્યકતા નથી. જરુરત છે કેવળ સૃ્ષ્ટિ અને સૃષ્ટિમાં રહેલા અન્ય પ્રાણીઓ સાથેના આપણા વ્યવહાર ઉપર ચાંપતી નજર રાખવાની. આ નિયમો છે સનાતન ધર્મના, માનવતાના, જેનું અનુસરણ કરીએ તો બીજા કોઈ ધર્મની જરાએ આવશ્યકતા નથી. આ નિયમોથી ભલે આપાણું મન સો ટકા અંતરમુખ ન થાય પણ આપણા મનને સ્વથ અને શાંત રાખવામાં જરુર સહાયક થશે. અને મન જ્યારે સ્વસ્થ અને શાંત થશે ત્યારે મનને અષ્ટાંગ યોગના છેલ્લા ત્રણ અંગો “ધારણા, ધ્યાન અને સમાધિ” તરફ વાળવાનુ સરળ થશે. શક્ય છે કે સમાધિ સુધી આપણે ન પહોંચીએ પરંતુ ધારણા અને ધ્યાનથી અંતરમુખ તો જરુર થઈ શકીએ. અંતરમુખ થઈએ તો જ આપણે આપણા અહંને દૂર કરી શકીએ. હવે ધાર્મિક્તા અને આધ્યાત્મિકતામાં મને જે ફરક જણાયો તે રજુ કરું છું

ધાર્મિકતા આધ્યાત્મિકતા
માનવકૄત છે કુદરતી છે
અનુકરણીય છે અનુભવનીય છે
બહિર્મુખી છે અંતરમુખી છે
અનેક છે એક જ છે
સ્વૈચ્છિક છે અનૈચ્છિક છે
કેવળ માનવ માટે છે સર્વ પ્રાણી માટે છે
આપણે તેનું રક્ષણ કરવું પડે છે તે આપણુ રક્ષણ કરે છે

નવેમ્બર 14, 2014 at 9:48 પી એમ(pm) Leave a comment

Older Posts


તાજેતરની ટિપ્પણીઓ

પટેલ સતિષભાઈ પર “પાતંજલ યોગસૂત્ર”
sagar પર સુખનું ત્રાજવું
mayuri25 પર બુદ્ધિનો બંધ
riya પર બુદ્ધિનો બંધ
mayuri25 પર બુદ્ધિનો બંધ

સંગ્રહ

એપ્રિલ 2024
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Blog Stats

  • 37,996 hits