જુદા જુદા વેશ.
બ્રહ્મા કહો વિષ્ણુ કહો કે કહો ઍને મહેશ ઍક જ પરમાત્માના છે ઍ જુદા જુદા વેશ
બ્રહ્મા રુપે સર્જે સૃષ્ટિ,વિષ્ણુ રુપે રક્ષે દેશ પ્રદેશ કરવા વિસર્જન સૃષ્ટિનું તે જ બને મહેશ
.
Add comment January 29, 2008
ઇશ્વર કે ખુદા
હું ખુદ છું ઇશ્વર ‘ એમ હું કદી નથી કહેતો
છતાં કહું કે ઇશ્વરથી હું નથી જરાયે જુદો.
શાને સહુ કહે છે કે ઇશ્વરે મને પેદા કીધો
ના,મે જ મારી મરજીથી ઇશ્વરને પેદા કીધો.
મન થકી માનવ ઘડે છે ઇશ્વર જુદા જુદા
કોઇ કહે એને ઇશ્વર તો કોઇ કહે છે ખુદા.
પૂછું તને, હે મન મારા, તને કીધું કોણે પેદા
ઉત્તર એણે જે દીધો તે મને રહેશે યાદ સદા.
હું સર્જું વિવિધ રૂપ પ્રભુના બોલ્યું મારું મન
’ને એજ વિવિધ રૂપો થકી બન્યું છે મારું તન.
પ્રભુ વિના હું નથી,નથી મારા વિના ભગવન
હું જ છું તારું મન ’ને હું જ છું તારો ભગવન.
ફેબ્રુવારી 28, 2008 at 2:28 પી એમ(pm) gdesai Leave a comment
સુરતી કે અમદાવાદી
ચ્હા સાથે ભુસુ ખાધા વિણ
ન આવે જેનામાં સ્ફૂરતી,
તો જરુર જાણીલેજો કે
તે ભાઇ છે પાકો સુરતી.
એક કપ ચ્હા ઓર્ડર કરે
પણ મંગાવે બે રકાબી,
તો જરુર જાણીલેજો કે
તે છે પાકો અમદાવાદી.
જે લેતી વેળા કરે સરવાળો
’ને દેતી વેળા કરે બાદબાકી,
તો જરુર જાણીલેજો કે
તે છે પાકો અમદાવાદી.
ફેબ્રુવારી 18, 2008 at 10:04 પી એમ(pm) gdesai Leave a comment
અપેક્ષા એટલે આશા કે ઇચ્છા અને ઉપેક્ષા ટલે અનાદર કે અવગણના. બેઉના આવા અર્થમાં જરાએ સામ્યતા નથી છતાં આ બેઉ વચ્ચે મા દિકરી જેવો ખૂબ ઘાડો સંબંધ છે. આશા અંગે શ્રી કલાપીએ લખ્યું છે કે
” આશા એ તો મધુર કડવો અંશ છે જીદગીનો
છેદાયે ના જીવીત લગી એ છેદતાં જીવ જાતો.”
કારણ અપેક્ષા હંમેશા પોતાનું મુખ ભાવિ તરફ રાખે છે. અર્થાત આ ઇચ્છા કે આશાને સહારે જ આપણે આપણું ભાવિ ઘડતાં રહીએ છીએ.આને જ જિજીવિષા કહેવાય છે. જેના મનમાં જિજીવિષા ન રહે તેના જીવનનો અંત આવી જાય છે. એનો અર્થ એ થયો કે જો જીવન જીવવું હોય તો મનામાં ઓછામાં ઓછી એક ઇચ્છા તો હોવી જ જોઇએ. પરંતુ ઇચ્છા રાખવામાં એક મોટો વાંધો એ છે કે આઅપેક્ષાનું ફળ ભાવિમાં સુખ લાવશેે કે દુઃખ તે જાણી શકાતું નથી.અને જો સુખ મળે તો મન એવા સુખનો ફરી અનુભવ કરવા વધુ લલચાય છે અને દુઃખ મળતાં આંસુ સારવાનો વખત આવે છે.
જો હોયે ઇચ્છા મન મહીં તો તે ફળે કે નિષ્ફળ થાય ન ફળતાં દુઃખ ઉપજે ’ને ફળે તો મન ફરી લલચાય પરંતુ જો ન હોયે ઇચ્છા એક પણ તો જીવન કદી જીવાય તો તેનો ઉપાય શું?
તો ઇચ્છા એક જ રાખવી કે હરિ ઇચછાથી બધું થાય. આવી વૃત્તિથી કરેલા કામને જ નિષ્કામ કર્મ કહેવાય છે.અપેક્ષાથી ઉપસ્થિત મનની દ્વિધાનું આ એક જ મારણ છે. ઇશાવાસ્ય ઉપનિષદના પહેલા બે શ્લોકમાં આ જ વાત સમજાવી છે એમ હું માનું છું. ઉપેક્ષા પોતાની નજર ભૂત અને ભાવિ બેઉ તરફ રાખી શકે છે. કવાની મતલબ એ છે કે ભૂતકાળમાં કોઇએ આપણી ઉપેક્ષા કરી હોય તો તે આપણાથી ભૂલાતી નથી અને ભાવિમાં જો તક મળે તો બદલો લેવાનું ચૂકતા નથી.અને જો આપણે કોઇની અપેક્ષા કરી હોય તો તે પણ મળેલી તક ચુકતો નથી.
ઉપેક્ષાથી બચવાના બે સરળ ઉપાય છે એક સહકાર અને બીજો સંયમ. જયારે કોઇ આપણી સહાયની અપેક્ષા રાખે ત્યારે બનતી મદદ કરવી અને જયારે કોઇ તેનાથી બનતી મદદ ન કરે ત્યારે સંયમ રાખી તે વાત ભૂલી જવી. છતાં કોઇ વાર એવું બને કે વિના કારણ આપણી ઉપેક્ષા થાય. આવું થવાનું કારણ શું છે તે કાકા સાહેબ કાલેલકરે એક જ વાકયમાં સરસ રીતે સમજાવ્યું છે.
“જો હું મારું માન બીજાના હાથમાં સોંપુ તો જ તે મારું અપમાન કરી શકે ને?”
આ માન સોંપવું એટલે કોઇની પાસેથી કશું મેળવવાની અપેક્ષા રાખવી.અને જો એનું પરિણામ આપણી અપેક્ષાથી વિરુદ્ધ આવે તો આપણી ઉપેક્ષા થઇ એવું લાગે. અપેક્ષા હોય તો જ ઉપેક્ષા થાય ને ? અર્થાત ઉપેક્ષાનો જન્મ અપેક્ષામાંથી જ થાય છે. જો અપેક્ષા ન હોય તો ઉપેક્ષા કયાંથી ? મા ન જન્મી હોય તો દિકરી કયાંથી ? જીવનમાંથી અપેક્ષાઓ ઓછી કરવી હોય તો સ્વાવલંબી થતાં શીખવું જોઇએ. હું જેટલો સ્વાવલંબી અને સ્વતંત્ર રહું તેટલો બીજાના સહકારની આશાથી મુકત રહી શકું.અને તો જ મારી ઉપેક્ષા થવાનો સંભવ ઘટતો જાય.
જીવન જેટલું સ્વાવલંબી અને સ્વતંત્ર બને તેટલું તે સુખી અને આનંદમય બને. વળી જીવનની જરુરીયાતો જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ સ્વતંત્રતા વધતી જાય તેમાં મને જરાયે શંકા નથી.
સ્મરણ એટલે યાદ કરવું અને વિસ્મરણ એટલે ભૂલી જવું. આ બેમાં સારું શું ? મોટા ભાગના લોકો સ્મરણની પસંદગી કરશે એમાં મને જરાયે શંકા નથી. પરંતુ આ અંગે વિચાર કરતાં મને મનમાં પ્રશ્ન થયો કે વિસ્મરણ સિવાય સ્મરણ થઇ શકે ખરું. આ બે શબ્દોનો જરા જુદી દ્રષ્ટિથી વિચાર કરતાં મને સમજાયું કે સ્મરણ તો ત્યારે જ થાય કે જયારે મન જે વિષયનું સ્મરણ કરવા ઇચ્છતું હોય તે વિષયમાં એકાગ્ર થાય.અને તે માટે મનમાં ભમતા બીજા બધા વિષયોનું વિસ્મરણ થાય. આ ઘણું જરૂરી છે.
મારી દ્રષ્ટિએ વિસ્મરણનો અર્થ છે વિ(શિષ્ટ્)સ્મરણ. કારણ એની વિશિષ્ટતા એ છે કે તેનાથી કોઇ એક વિષય સિવાયના બીજા બધા વિષયોના વિચારને મનમાંથી દૂર કરી શકાય છે. મારી દ્રષ્ટિએ વિસ્મરણ એટલે ધ્યાનાવસ્થા. છતાં આપણે સહુ બને તેટલા વિષયો સ્મરણમાં રાખવા પ્રયત્ન કરતા રહીએ છીએ એટલું જ નહીં પણ ભાવિમાં તે ભૂલાઈ જવાના ડરથી તે બધું કાગળ કે કોપ્યુટર ઉપર સાચવી રાખીએ છીએ અને તેથી જે ભૂલવા જેવું છે તે પણ યાદ કરી કરીને દુઃખી થઇએ છીએ. જો દુઃખી ના થવું હોય તો વિસ્મરણ કરવાની ‘ધ્યાનાવસ્થ’ થવાની કળા શીખવા જેવી છે. જે શીખવી ખૂબ અઘરી છે.
કદાચ કોઇ એવી દલીલ કરે કે દવા દારૂના નશાથી વિસ્મરણ આસાનીથી થઇ શકે છે. હા જરૂર પણ તેને વિસ્મરણ કહેવા કરતાં અસ્મરણ કહેવું વધુ યોગ્ય ગણાય કારણકે આવા નશાથી કેવળ બેભાનાવસ્થા જ પ્રાપ્ત થાય.ધ્યાનાવસ્થા નહીં.અને આવી સ્થિતિમાં જેનું સ્મરણ કરવા ઇચ્છતા હોઇએ તે પણ ભૂલાઇ જાય. જોકે ‘અસ્મરણ’ જેવો કોઇ શબ્દ ગુજરાતી ભાષામાં નથી છતાં ‘જ્ઞાન,અજ્ઞાન અને વિજ્ઞાન’ કે ‘કર્મ,અકર્મ અને વિકર્મ’ જેમ સ્મરણ અસ્મરણ અને વિસ્મરણ કહેવામાં શું વાંધો છે.
વિસ્મરણની આ કળા કેવી રીતે શીખવી તે સમજાવવા પતંજલિ ઋષિએ પાતંજલ યોગસૂત્રની રચના કરી છે. જેમાં આ કળા હસ્તગત કરવા માટેના આઠ અંગોની ચર્ચા કરી છે.જેને અષ્ટાંગ યોગ પણ કહેવાય છે.
આ યોગસૂત્રના સૌથી પહેલા સૂત્રમાં જ એમણે કહયું છે કે ” યોગ ચિત્તવૃત્તિ નિરોધ” ભટકતી ચિત્તવૃત્તિ ને રોકવી એટલે યોગ આ આઠ અંગો નીચે પ્રમાણે છે. યમ ,નિયમ,આસન,પ્રાણાયમ,પ્રત્યાહાર,ધારણા,ધ્યાન અને સમાધિ.આમાના પહેલા પાંચ અંગ બહિરંગી ગણાય છે કારણ કે તે આપણા બહારના જગત સથેના આપણા સામાજિક વ્યવહારના ઘડતર માટે છે. અને છેલ્લા ત્રણ અંતરંગી છે એટલે કે આપણા આંતરિક જીવના ઘડતર માટે છે. આ દરેક અંગોના ઉપાંગો વિશેની સમજ પતંજલિ ઋષિએ આપી છે. જેનો ઉલ્લેખ અહીં કરૂં છું. યમના ઉપાંગો “અહિંસા, સત્ય, અસ્તેય, બહ્મચર્ય, અને અપરિગ્રહ” નિયમના ઉપાંગો “શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય,અને ઇશ્વર પ્રણિધાન” આસનના ઉપાંગો “ધૌતિ, બસ્તિ, નેતિ, ત્રાટક, નૌલી અને કપાલ ભાતિ” આને ષટકર્મો પણ કહેવાય છે.
પ્રાણાયમ એટલે શ્વાસોછ્શ્વાસનું નિયમન ધારણા એટલે અમુક વસ્તુ કરવાનો નિર્ધાર ધ્યાન એટલે વિશિષ્ટ સ્મરણ, એકાગ્રતા, સમાધિ એટલે સમ=એક સરખી અને આધિ= સ્થિતિ અર્થાત મનનું ઇચ્છીત વિષયમાં લય પામવું સ્મરણ વિસ્મરણ વચ્ચેની મારી સમજ વ્યકત કરવા પુરતો જ આ લખાણનો ઉદ્દેશ હતો એટલે અહીં રોકાઇ જાવું જ વ્યાજબી સમજું છું. ઇતિ.
For Health
Stay away form junky foods
Eat health food instead, and
Never keep your body hungry
Yet it should not be over Fed.
And give it a good work out
So it can sleep soundly in bed.
For Wealth
From every hundred that you earn
At least twenty must be saved.
Say goodby to credit cards and
Pay with cash or check instead.
And just before you think to spend
Make sure all your debts are paid.
For Social Life
Treat people with honesty and love
There is no need to cheat and hate
Judge some one using your heart
And feel his heart using your head.
And before you say something
Choose the words that are to be said.
For Mind
Try to keep fixed in the mind that
Things exist, only in our head.
They are projected from within of us.
And out side they are just displayed.
Remember, Heaven hides in our heart.
And hell is exposed thru our head.
Following these rules of health
One can remain healthy and stout.
Following these rules of wealth
One’s money would never run out.
Following these social rules
One gains friends and clout.
Following the rules of mind
One could live peacefully, no doubt.
ફેબ્રુવારી 2, 2008 at 11:21 પી એમ(pm) gdesai Leave a comment
બ્રહ્મા કહો વિષ્ણુ કહો કે કહો ઍને મહેશ ઍક જ પરમાત્માના છે ઍ જુદા જુદા વેશ
બ્રહ્મા રુપે સર્જે સૃષ્ટિ,વિષ્ણુ રુપે રક્ષે દેશ પ્રદેશ કરવા વિસર્જન સૃષ્ટિનું તે જ બને મહેશ
.
Add comment January 29, 2008
” What a Shame!”
As varied are the kids in this world
So varied are their toys.
And varied are the games they play
To fill their hearts with joy.
As varied are the folks in this world
So varied are their Gods.
To whom they bow, to whom they pray
To help them thru their odds.
If kids don’
t get, the toys they want
They will cry and start to fight.
But with passage of just a little time
They will laugh and then unite.
But the folks who never saw their God
Keep fighting to save His name.
They think, they can help their God
What an irony! What a shame!
Childhood toys and manhood Gods
Help us to train our minds.
So, folks, let us learn from all these kids
And in Gods name, let us unite.
Girish Desai
Add comment January 25, 2008
મયૂરનાં પીંછ
Add comment January 23, 2008
તાજેતરની ટિપ્પણીઓ