બુદ્ધિનો બંધ
ઓગસ્ટ 26, 2015 at 8:20 પી એમ(pm) gdesai Leave a comment
બુદ્ધિનો બંધ
અનુભવોની ઈંટો વડે
સર્જાય છે બુદ્ધિનો બંધ.
ઊંચાઈ તેની વિવેક છે
‘ને પહોળાઈ છે સંયમ.
સત્વ,રજ,’ને તમ તણી
અધખોલી છે ત્રણ બારી.
રહે નિરંતર વહેતું
તેમાંથી વૃત્તિ કેરું વારિ.
વૃત્તિઓ કેરા આ વારિનું
અન્ય નામ તો છે વિચાર.
તે ઉપર નિર્ભર છે સદા
આપણો બધો વ્યવહાર
ગિરીશ દેસાઈ
Entry filed under: Uncategorized.
Trackback this post | Subscribe to the comments via RSS Feed