Archive for જુલાઇ 2, 2007
” બે બળદિયા”
” બે બળદિયા”
મન અને બુદ્ધિ તણાં બળવાન બે બળદિયા
તન તણી ભૂમી ઉપર સંગ્રામ જામે
ચિત્ત ગોવાળ બની સઘળંુજોયા કરે
તો કેમ કરી યુદ્ધનો અંત આવે ?
ચિત્તને સમજાવવા ચૈતન્ય આવી કહે
સાંભળ વાત મારી, હું કહું જે આજે
બાંધી દે તું ઘૂંસરી બેઉ આ બળદને
નહીં તો કરશે બંડ બેઉ તારી સામે.
છે શકિત તારી ઘણી નાથવા બે બળદિયા
આળસ કરે તે તને કેમ છાજે !
લઇ સંયમની ઘૂંસરી બાંધ બે બળદિયા
વાવ બીજ ભકિતના તન ભૂમિ માંહે.
ભકિતના બીજથી ફળ ઉગશે જ્ઞાનના
જે ચાખીને બેઉ બળદ શાન્ત થાશે
‘ને રાત દિવસ રહેશે તેઓ તારી સહાયમાં
‘ને નિજાનંદ માંહી તું સદા ય રહેશે.
છે મન અને બુદ્ધિ તણાં
બળવાન બે બળદિયા
તાજેતરની ટિપ્પણીઓ