Archive for માર્ચ 1, 2007
માણસાઇ
માણસાઇ
કોઇ કહે છે, હું છું હિન્દુ
તો કોઇ કહે છે હું છું ઇસાઇ,
છે મારો ધર્મ તારાથી સારો
કહી, કરે મન મહીં ખોટી વડાઇ.
ધર્મને નામે યુદ્ધ આદરે
શસ્ત્ર ધરી બને આતતાયી,
જો કરીયે તુલના તેઓની સાથે
તો લાગે સંત સમો કોઇ કસાઇ.
જુઓ ધર્મની આ વાડો મંાહે
મતિ જાયે કેવી ભરમાઇ,
સરળ વાત કેમ કોઇ ન સમજે
કે માનવનો ધર્મ તો છે માણસાઇ.
ત્યાગીને ભોગવી જાણો
ત્યાગીને ભોગવી જાણો
વહી જતા વર્તમાનની આ પળોમાં
માનવી આયખું આખું વિતાવે.
છતાં ભમે તે ભૂત કેરી સ્મૃ તિમાં
કે રહે રઝળતો ભાવિ તણાં વિચારે.
ત્યાગી એ વિચારો ભૂત ભાવિ કેરા
લો ભોગવી વર્તમાન તણી પળો આ.
‘ ત્યાગીને ભોગવી જાણો ‘
શીખ ન દીધી શું એ ઇશાવાસ્યમાં ?
તાજેતરની ટિપ્પણીઓ