“માન્યતા અને શ્રદ્ધા”
April 13, 2008
Every belief we have in mind
In it resides some doubt.
And it will never turn into faith
Till that doubt is fully out.
મનની બધી માન્યતાઓ માંહીં સંશય રહે સદા છુપાઈ,
બુદ્ધિ વડે એ સંશયને મારો તો માન્યતા શ્રદ્ધા બની જાઈ.
Entry Filed under: વિચાર. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
pragnaju | April 14, 2008 at 2:12 pm
બુદ્ધિને વિજ્ઞાનમય કોશ કહે છે. આની સાથે પણ પાંચ જ્ઞાનેન્દ્રિયોની ગણના કરવામાં આવે છે. આ મનથી અધિક સૂક્ષ્મ છે. પૂર્વ સ્મૃતિનો ઉપયોગ કરી બુદ્ધિ વર્તમાન વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પર વિચાર કરવા અને નિર્ણય લેવાની ક્ષમતા રાખે છે.
મન અને બુદ્ધિની કાર્યવિધિઓ અને એના કાર્ય-વિશેષ એક ઉદાહરણથી ભલી-ભાંતિ સમજી શકાય છે. જ્યારે કોઈ વ્યક્તિ સળગતી સિગારેટના ટુકડા પર પગ મૂકી દે છે તો તે તુરંત પોતાનો પગ હટાવી દે છે પરંતુ આ ક્રિયા પહેલા ઘણી પ્રતિક્રિયા થાય છે. જ્યારે મનુષ્યનો પગ અગ્નિના સંસર્ગમાં આવે છે, ત્વચા અગ્નિના ઉત્પ્રેરકને મન સુધી પહોંચાડે છે અને મન એને બુદ્ધિ સામે નિર્ણય લેવા માટે પ્રસ્તુત કરે છે. બુદ્ધિ એના પૂર્વ અનુભવ અને જ્ઞાનના આધારે મનને આદેશ આપે છે, અને મન શરીરની માંશપેશીઓને આદેશ આપે છે કે પગ હટાવી લેવામા આવે, કારણ કે જે વસ્તુના સંસર્ગમાં પગ છે તે શરીર માટે હાનિકારક છે.
મન કેવળ જ્ઞાત ક્ષેત્રમાં વિચરણ કરવામાં ક્ષમતા રાખે છે, પરંતુ બુદ્ધિ જ્ઞાત ક્ષેત્રમાં રહેવા અતિરિક્ત અજ્ઞાત ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવાની શક્તિ ધરાવે છે. તે નવી-નવી શોધ કરી શકે છે, નવી વાતો પર વિચાર કરી શકે છે અને નવા સિદ્ધાંતોને સમજી શકે છે.