Archive for February 28th, 2008
ઇશ્વર કે ખુદા
ઇશ્વર કે ખુદા
હું ખુદ છું ઇશ્વર ‘ એમ હું કદી નથી કહેતો
છતાં કહું કે ઇશ્વરથી હું નથી જરાયે જુદો.
શાને સહુ કહે છે કે ઇશ્વરે મને પેદા કીધો
ના,મે જ મારી મરજીથી ઇશ્વરને પેદા કીધો.
મન થકી માનવ ઘડે છે ઇશ્વર જુદા જુદા
કોઇ કહે એને ઇશ્વર તો કોઇ કહે છે ખુદા.
પૂછું તને, હે મન મારા, તને કીધું કોણે પેદા
ઉત્તર એણે જે દીધો તે મને રહેશે યાદ સદા.
હું સર્જું વિવિધ રૂપ પ્રભુના બોલ્યું મારું મન
’ને એજ વિવિધ રૂપો થકી બન્યું છે મારું તન.
પ્રભુ વિના હું નથી,નથી મારા વિના ભગવન
હું જ છું તારું મન ’ને હું જ છું તારો ભગવન.
Add comment February 28, 2008