“ઝંખના”
જન્મે જે જે જીવો જગમાં, આવે સહુનો અંત
વિશ્વ માંહી તુંજ પ્રભુ છે, એક અનાદિ અનંત.
ફળ ફૂલ સઘળાં તું જ બનાવે,દે સહુને સ્વાદ સુગંધ,
જડ ચેતન પણ તેં જ છે સજર્યાં, કીધાં વિવિધ રૂપ રંગ
લ્હાવો લેવા આ જગતનો દીધાં તેં મન,બુદ્ધિ ‘ને અંગ
આ જગમાં આવી તે ત્રણે ફસાયાં લાગ્યો સૃષ્ટિનો રંગ
સ્થળ ‘ને કાળની બેડી બનાવી તેમાં બાંધી દીધું આ અંગ,
વળી વાસના કેરા વહેતાં વમળમાં ચક્રાવે ચઢાવ્યું મારૂં મન.
ઝાંખી કરવા પ્રભુ, તારા સ્વરૂપની ઝંખે સદા આ મારૂં મન,
જો અવસર એવો દેશે પ્રભુ તું, તો ઉભરાશે મુજ ઉરમાં ઉમંગ
October 31, 2007
ગીતાનો સંદેશ
જો હોયે મન મહીં કદી કૃષ્ણની ખેવના
તો જીવનભર કર્મ કરતાં જ રહેવું.
અકર્મ વિકર્મથી સુખ શાન્તિ ન કદી મળે
કેવળ નિષ્કામ કર્મ કરતાં જ રહેવું.
કૃષ્ણ કોઇ વ્યકિત કે વસ્તુ નથી જાણીને
કૃષ્ણ તત્ત્વ જાણવા મથતાં જ રહેવું.
નિષ્કામ કર્મથી સિદ્ધિ સુલભ બને
છે એ જ વાત સાચી,એમ ગીતાનું કહેવું.
October 29, 2007
જયારે જયારે મારૂં મન,મન વિશેના વિચારમાં વ્યસ્ત થાય છે ત્યારે સૌથી પહેલાં મનના સર્જકને નમન કરવા જરૂર પ્રેરાય છે.મનનું વિશ્લેશણ કરતી વખતે મારા મનમાં નીચેના પશ્નો ઉપસ્થિત થયા વગર રહેતા નથી ૧)મન એટલે શું ? ૨)એનું ઉદ્ભવ સ્થાન કયાં ? ૩)એનો નિવાસ કયાં ? ૪)એનું અંતીમ સ્થાન કયું ?
આ પશ્નોના જવાબ આપણા વૈદિક તત્ત્વજ્ઞો આ પ્રમાણે આપે છે.
મન એટલે વિચારોનો પ્રવાહ. એનું ઉદ્ભવ સ્થાન છે ચિત્ત. એનો નિવાસ છે અંતઃકરણ. અને એનું અંતીમ સ્થાન છે ચિત્ત, અર્થાત એ જયાંથી ઉદ્ભવ્યું ત્યંાજ છે એનું અંતીમ સ્થાન.
જેમ કોઇ પણ વ્યકિતનું સાચું મુલ્યાંકન કરવું હોય તો, તેની તેના પોતાના ઘરમાં રહેવાની રીતભાત અને તેનું રોજ બરોજનું વર્તન કેવું છે તે જાણવા તેના ઘરમાં પગ પેસારો કરી તેનું અંગત જીવન જાણવાની જરૂર પડે છે તેમ જ આપણે જો મનનું મુલ્યંકાન કરવું હોય તો તેના ઘરમાં અર્થાત અંતઃકરણમાં પગ પેસારો કરવો જરૂરી છે.પરંતુ આમ કરતાં પહેલા અંતઃકરણનો અર્થ સમજી લઇએ. જેમ વશીકરણ એટલે વશ કરવાની ક્રિયા, સમીકરણ એટલે સમાન કરવાની ક્રિયા તેમ અંતઃકરણ એટલે અંતરગત કરવાની ક્રિયા. જીવનભર થતાં અનુભવોને અંતરગત કરવાની ક્રિયા. વળી આ ક્રિયાથી જેનો સંગ્રહ થાય છે તેને પણ અંતઃકરણ કહેવાય છે. અંતઃકરણનું બીજું નામ છે સુક્ષ્મ શરીર. આપણા દસ ઉપાંગો ( પાંચ જ્ઞાનેન્દ્રિયો અનેપાંચ કર્મેન્દ્રિયો)વાળું શરીર સ્થુળ શરીર કહેવાય છે. અને આ બેઉ જેને આધારે ટકી રહે છે તેને કારણ શરીર કહેવાય છે. જેમ સ્થુળ શરીરનો વ્યવહાર તેના દસ ઉપાંગો દ્વારા ચાલે છે તેમ આપણા સુક્ષ્મ શરરિનો વ્યવહાર તેના ચાર ઉપાંગો - મન,બુદ્ધિ,ચિત્ત અને અહંકાર - દ્વારા ચાલે છે અને આ ચાર ઉપાંગોનો સમુહ એટલે જ અંતઃકરણ.
હવે જો આપણે આ ચાર ઉપાંગોનો એક બીજા સાથેનો સંબંધ કેવો છે તે એટલે કે તેઓની એક બીજા પ્રત્યેની શું જવાબદારી છે તે સમજી લઈએ તો ઉપરના ચાર પશ્નોના જવાબની યોગ્યતા સમજાય.આ માટે ગીતાના ત્રીજા અધ્યાયનો શ્લોક બેતાલીસ સહાય રૂપ થશે એમ હું માનું છું.
ઇન્દ્રિયાણિ પરાણ્યાહુઃ ઇન્દ્રિયેભ્યઃ પરં મનઃ
મનસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેઃ પરતસ્તુ સઃ ગીતા ૩-૪૨
જેનો અર્થ છે.
ઇન્દ્રિયોના વિષયો ઉપર ઇન્દ્રિયોની સત્તા છે,ઇન્દ્રિયો ઉપર મનની સત્તા છે,મન ઉપર બુદ્ધિની સત્તા છે અને બુદ્ધિ ઉપર “સઃ” ની અર્થાત ‘તે’ની સત્તા છે.આ’તે’ એટલે જ ઇશ્વર કે પરમાત્મા જે કહો તે.આમ આશ્લોકમાં સૃષ્ટિ,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ અને પુરૂષ એમ પાંચ વિશયો અંગે વિચાર કરતા મનને મધ્ય સ્થાન મળ્યું કારણ મનને બેઉ તરફ જવાની પૂરી મોકળાશ છે. આમ મનને ઇન્દ્રિયો દ્વારા સૃષ્ટિનો સ્વાદ માણવાની યાતો બુદ્ધિ દ્વારા પુરૂષની ઝંાખી કરવાની સંપૂર્ણ છુટ છે. પરંતુ બુદ્ધિની ગુલામી સ્વિકારવા કરતા મનને ઇન્દ્રિયો ઉપર આધિપત્ય વધારે પસંદ છે. ગુલામી કોને ગમે છે ? અને તેથી જ તે ઇન્દ્રિયો તરફ વળે છે. અને આ ઇન્દ્રિયોનો સંગ લાગતા તેની શું વલે થાય છે તે સમજાવતાં ગીતાના બીજા અધ્યાના શ્લોક ૬૨ અને ૬૩માં નીચે પમાણે કહયું છે કે
ધ્યાયતો વિષયાન્ પુંસઃ સંગઃ તેષૂપજાયતે
સંગાત્ સંજાયતે કામઈ કામાત્ ક્રોધઃ અભિજાયતે ગીતા ૨-૬૨
ક્રોધાત્ ભવતિ સંમોહઃ સંમોહાત્ સ્મૃતિ વિભ્રમઃ
સ્મૃતિ ભ્રંશાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્ પ્રણશ્યતિ ગીતા ૨-૬૩
જેનો અર્થ છે, સૃષ્ટિના જે પણ વિષયને મન ધ્યાનમાં રાખે તેનો તેને સંગ લાગે છે અને તે વિષયનો ઉપભોગ કરવાની તેને કામના થાય છે.પરંતુ તેની બધી જ કામનાઓ કદી પણ સંતોશાતી નથી તેથી તે ખૂદ પોતા ઉપરજ ક્રોધિત થાય છે. અને આ ક્રોધને કારણે તે અભાન અવસ્થામાં આવી જાય છે અને તેને કારણે તેની સ્મૃતિનો નાશ થાય છે. અને આ સ્મૃતિનો નાશ એટલે સારા નરસાનો વિચાર કરવાની શકિતનો નાશ. જેમકે કોઇ માણસ ગુસ્સામાં આવી જાય તો તે અભાન અવસ્થામાં જ બાપને પણ થપ્પડ મારી બેસે. થોડી ક્ષણો માટે, ‘એ મારો બાપ છે’, એ અંગે એને વિસ્મૃતિ થઇ જાય છે. અને આવી વિસ્મૃતિ - ટેમ્પરર્રી ઇસ્નેનીટી - એટલે જ બુદ્ધિ નો નાશ જેને કારણે પોતાની જાતનો પણ નાશ થાય છે. હવે જો મન બુદ્ધિની ગુલામી સ્વિકારી પુરૂષ તરફ જવા મથે તો શું પરિણામ આવે તે અંગે શંકાચાર્યે ભજગોવિંદમ્માં એક શ્લોક કહયો છે.
સંસગત્વે નિસંગત્વં , નિસંગત્વે નિર્મોહત્વં
નિર્મોહત્વે નિશ્ચલ તત્ત્વં , નિશ્ચલતત્ત્વે જીવન મુકિત
આ શ્લોકનો અર્થ તો ખૂબ સરળ છે.
સત્સંગથી મનનો વિષયોના સંગમાંથી છુટકારો થાય છે, અને તથી તે પ્રત્યેનો મોહ છૂટી જાય છે.અને મોહ છુટતા મન આપોઆપ નિશ્ચલ તત્ત્વની શોધ કરવા પ્રેરાય છે. અને અંતે તે પ્રકૃતિની પકડમાંથી મુકત થઇ જાય છે. પણ આ માટે મનને આપણે જબરજસ્તીથી બુદ્ધિના ગુલામ થતાં શીખવાડવું પડે છે.અને તેને માટે કરવો પડતો પ્રયત્ન એજ છે સાચો કર્મ યોગ.
અસ્તુ.
October 24, 2007
પળે પળે વિચાર મનમાં કાંઇ આવે
ભમતું રહે આ મન સૃષ્ટિ માંહે
કદી ભૂત માંહે, કદી ભાવિ માંહે
શાને તે કદી ના કશે સ્થિર થાએ !
તણાતું શાને મન કાળ માંહે !
********
પળે પળે આ તન જીર્ણ થાએ
‘ને રહે વહેતું તે મૃત્યુની રાહે
કદી સુખ માંહે, કદી દુઃખ માંહે
શાને અવશ્ય તેનું મૃત્યુ થાએ !
હણાતું શાને તન કાળ માંહે !
October 22, 2007
જન્મતાં પહેલાં જ ભગવાને બક્ષેલ કરોડની કિંમત
કરોડોની મૂડી કરતાં કરોડ ઘણી વધારે નથી શું?
October 18, 2007
૧૯૭૮ ના ફેબ્રુઆરીના હ્યુસ્ટન ક્રોનીકલમાં એન લેન્ડર્સની કોલમમાં મહાત્મા ગાંધીજીએ વર્ણવેલા
દુનિયાના સાત પાપોની જે યાદી પ્રગટ થઇ હતી તેનો ગુજરાતી તરજુમો મૂળ અંગ્રેજી લખાણ સાથે અહીં રજુ કરૂં છું.
seven sins in this world
Wealth without work: Pleasure without conscience
Knowledge without character: commerce without morality
Science without humanity: Worship without sacrifice
And politics without principles: These are the seven sins.
ગાંધીજીએ દર્શાવેલા મૂર્ખતાના સાત લક્ષણો
શ્રમ વિહોણી સંપત્તિ ‘ને
માનવતા વિહોણું વિજ્ઞાન
ત્યાગ વિહોણી ભાવના ‘ને
ચારિત્ર વિહોણું જ્ઞાન
વિવેક વિહોણો આનંદ ‘ને
નીતિ વિહોણું જયાં રાજ
‘ને અનિતી ભર્યો વેપાર જયાં
આ છે મૂર્ખતાના લક્ષણ સાત.
October 16, 2007
મુજ અંતર અંદર, રટું નિરંતર
હે પ્રભુ, તારું નામ,
તુજ કૃપાથી થાયે આ જગમાં
સહુના સઘળાં કામ.
શિવ,વિષ્ણુ તું બુદ્ધ,ઇષુ તું
તંુ જ રહીમ તું રામ,
વિધ વિધ રૂપે પૂજે સહુ તુંજ ને
કરે તને પ્રણામ.
સર્વ ધર્મનો તું સંચાલક
તુજ કરમાં સહુની લગામ,
તો માનવ કૃત ધર્મો આ જગના
ઝગડે છે શું કામ ?
હે શેષશાયી જાગ હવે તું
કર કઠણ તુજ કરની લગામ,
લાગે માનવી ભૂલ્યો છે આજે
માનવતાનું ભાન.
માગું પ્રભુ હું તારી પાસે
બસ એક વરદાન,
કે દે સદબુદ્ધિ તું સહુ માનવને
બનવા સાચો ઇન્સાન.
October 13, 2007
જો હોય એષણા મન મહીં,નીરખવા ઉજળું ભાવિ
તો ખોલજો તાળું વર્તમાનનું,લગાવી ભૂતની ચાવી.
જો ન આપો વિચારને,વાણી કે વર્તનનો અધાર
તો કહો ભાઇ થાય શું, સપના કદી કોઇના સાકાર ?
October 4, 2007
“Who! Where! When! Why!”
Who made all these mountains,
And who made this blue sky!
Why those clouds make thunder!
Who makes these birds to fly!
Who gave me my body,
Who came and kindled my life!
Where from comes my laughter
And who controls my cries!
From where, came all my senses,
From where did come my mind!
I wonder how in my little mind
Both friends and foes can hide.
Whoever made this wonderful world
Does HE really like to hide?
No. But only when my ego is gone
HE will be smiling by my side.
Girish Desai
October 1, 2007